રાજકોટ
News of Tuesday, 20th August 2019

રૈયા રોડના અલ્કેશ્વર મહાદેવ મંદિરે અમરનાથ મહાદેવના દર્શનઃ ભાવિકો ઉમટ્યાઃ જન્માષ્ટમીની થશે ભવ્ય ઉજવણી

રૈયા રોડ હનુમાન મઢી નજીક શ્રી અલ્કેશ્વર મહાદેવ મંદિર ખાતે અલ્કેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા છેલ્લા ૩૦ વર્ષથી શ્રાવણ માસ નિમિતે દરરોજ ધાર્મિક કાર્યક્રમો અને અલગ-અલગ દર્શનનું આયોજન કરવામાં આવે છે. તે અંતર્ગત ગઇકાલે અમરનાથ મહાદેવના દર્શન યોજવામાં આવ્યા હતાં. જેના દર્શનનો અલ્કાપુરી, વિમાનગર, અંબિકાપાર્ક, છોટુનગર તથા આસપાસના ધર્મપ્રેમીઓએ લાભ લીધો હતો. આગામી જન્માષ્ટમીની રાતે શ્રી કૃષ્ણજન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે.જેનો ધર્મપ્રેમીઓએ લાભ લેવા યુવક મંડળે આમંત્રણ પાઠવ્યું છે. ગત સાંજના અમરનાથ મહાદેવના દર્શનની તસ્વીર તથા ઉમટી પડેલા ભાવિકો અને મંદિરના પુજારી તથા સભ્યો જોઇ શકાય છે.

(1:20 pm IST)