ગંજીવાડામાં ગાયને બચાવવા જતા બાઇક સ્લીપ થતા મુકેશભાઇ રાઠોડનું મોત
રાજકોટ, તા., ૨૦: ગંજીવાડાના મહાકાળી ચોકમાં ગાયને બચાવવા જતા બાઇક સ્લીપ થતા યુવાનનું મોત નિપજયું હતું. મળતી વિગત મુજબ ગંજીવાડા શેરી નં. ૪૮ કોર્નર, દલીતનગર ચોકમાં રહેતા મુકેશભાઇ મોહનભાઇ રાઠોડ (ઉ.વ.૩૪) ગત તા. ૧૭-૮ના રોજ પોતાનું જીજે ૩ ઇએમ ૧૦૬ નંબરનું બાઇક લઇને જતા હતા ત્યારે ગંજીવાડામાં મહાકાળી ચોકમાં ગાય આડી આવતા ેતેને બચાવવા જતા બાઇક સ્લીપ થતા તેને જમણી આંખ પાસે અને હાથે ઇજા થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. ત્યાં ગઇકાલે તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક મુકેશભાઇ બે ભાઇ અને એક બહેનમાં મોટા હતા. તે મજુરી કામ કરતા હતા એક પુત્ર અને પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરીવારમાં શોક વ્યાપી ગયો છે. આ અંગે થોરાળા પોલીસ મથકના પીએસઆઇ પી.ડી.જાદવે તપાસ હાથ ધરી છે.