સંયમના સુખની તોલે કોઇ ન આવી શકે : પૂ. ધીરગુરૂદેવ
રોશનીબેન તથા મોનાલીબેનની દીક્ષા આજ્ઞા અર્પણ વિધિ યોજાઇ : જાન્યુઆરીમાં રાજકોટમાં દીક્ષા
રાજકોટ, તા. ર૧ : શ્રી વિલેપાર્લે સ્થા. જૈન સંઘ ખાતે જૈનાચાર્ય પૂ. શ્રી જશાજી સ્વામી શતાબ્દી વર્ષ ઉપલક્ષે પૂ.શ્રી ધીરગુરૂદેવે ઉપકરણ વંદનાવલી શિબિરમાં જણાવેલ કે, સંયમના સુખની તોલે કોઇ ન આવી શકે. સંયમની સફર અનુપમ છે. ઉપકરણની મહત્તા સોનલ ગોયાણીએ મધુરકંઠે પ્રસ્તુત કરેલ. વ્રત-નિયમ ધારણ કરી સહુએ ચડાવા લીધા હતા.
રાજકોટ નિવાસી સંયમ-સ્નેહી કુ. રોશનીબેન નલીનભાઇ આશરા અને કુ. મોનાલીબેન દિલીપભાઇ સંઘવીની આજ્ઞા પત્રિકા ગુરૂદેવના કરકમલમાં અર્પણનો લાભ દક્ષાબેન મુકેશભાઇ કામદાર અને શકુંતલાબેન વિજયકુમાર મહેતાએ લીધેલ. સમારોહની અધ્યક્ષતા ઇન્દુભાઇ બી. બદાણી અને દીક્ષાર્થીનું સુવર્ણથી માલિનીબેન કિશોરભાઇ સંઘવી અને પ્રતિમાબેન હસમુખલાલ મહેતાએ બહુમાન કરેલ.
પૂના, વિરાર, રાજકોટ, ભાવનગર, મુંબઇના સંઘોની હાજરી હતી. સૂત્ર સંચાલન જયશ્રીબેન શાહે કરેલ. તા. ર૬ ને રવિવારે શ્રીમતી કલ્પના ગિરીશ દેસાઇ પ્રેરિત ભકતામર રહસ્ય શિબિર પ્રવચન યોજાશે. ચંદુભાઇ દોશીએ આભારવિધિ કરેલ. (૮.૧પ)