રાજકોટ
News of Thursday, 20th June 2019

મચ્છરજન્ય રોગ માટે સર્વેલન્સ તથા પોરાનાશક કામગીરીને પ્રોત્સાહિત કરતા પદાધિકારીઓ

રાજકોટ : મેલેરિયા મુકત ગુજરાત-ર૦રર અભિયાનનો વિધિસર પ્રારંભ મુખ્યમંત્રી ગુજરાત રાજયના હસ્તે તા. ૭ મેના રોજ રાજકોટ ખાતેથી કરવામાં આવેલ. મેલેરિયા મુકત રાજકોટ-ર૦રર અભિયાન તથા ડેન્ગ્યુ ચિકુનગુનિયા રોગ નિયંત્રણ અભિયાનને સફળ બનાવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવેલ છે. જે અન્વેય મેલેરિયા મુકત રાજકોટ-ર૦રરને સફળ બનાવવા મેયર બીનાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને તથા ડેપ્યુટી મેયર અશ્વિનભાઇ મોલીયા, સ્ટે.ચેરમેન ઉદયભાઇ કાનગડ, શાસકપક્ષ નેતા દલસુખભાઇ જાગાણી, દંડક અજયભાઇ પરમાર, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાળાખાની આશાને આગામી ચોમાસાની ઋતુમાં તાવના કેસોમાં સર્વેલન્સ તથા પોઝીટીવકેસમાં સારવાર તથા મચ્છરની ઉત્પતી અટકાવવા ઘરે ઘર સોર્સરીડકશન તથા પાણી ભરેલ ટાંકા તથા અન્ય પાત્રોમાં લાર્વીસાઇડ દ્વારા પોરા નાશક કામગીરી માટે મેલેરિયા કિટ આપી વાહક જન્યરોગ નિયંત્રણની કામગીરી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવેલ.  રાજકોટ મહાનગરપાલિકાની ર૯૬ આશાને આ કામગીરી માટે તાલીમ પૂરી પાડવામાં આવેલ છે તથા ૯૭ એએનએમને પણ સર્વેલન્સ કામગીરી માટે તાલીમ પૂરી પાડવામાં આવેલ છે. આશા દ્વારા તેઓના નિયત કરેલ વિસ્તારમાં દૈનિક પ૦ ઘરોની મુલાકાત લઇ સર્વેલન્સ તથા પોરા નાશક કામગીરી કરવામાં આવશે. ડેન્ગ્યુ, મેલેરિયા રોગથી તમારા અને તમારા પરિવારનું રક્ષણ કરવા મહાનગરપાલિકાના પ્રયત્નોમાં સહયોગ આપવા આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી જયમીન ઠાકરની ખાસ અપીલ છે. તેમ મ્યુ. કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવાયું છે.

(4:21 pm IST)