રાજકોટ
News of Thursday, 20th June 2019

ગુરૂપ્રસાદ ચોક -પુષ્કરધામ વિસ્તારમાં ગંદા પાણીની રેલમછેેલઃ આ સમસ્યા તાકીદે ઉકેલવા કોંગ્રેસની રજુઆત

રાજકોટઃ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ભુગર્ભ ગટર છલકાવાની ફરીયાદો ઉઠી રહી છે ત્યારે આજે વોર્ડ નં. ૧૦ માં આવેલ પુષ્કરધામ વિસ્તારમાં જે.કે. ચોક અને તોરલ પાર્ક પાસે તથા વોર્ડ નં. ૧૩ માં ગુરૂપ્રસાદ ચોક વિસ્તારમાં ડ્રેનેજ લાઇન લીકેજ થતા રસ્તાઓ ઉપર ગંદા પાણીની રેલમછેલ જોવા મળી હતી. આ સમસ્યા તાકીદે ઉકેલવા કોંગી કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયા તથા જાગૃતીબેન ડાંગરે રજુઆત કરી છે.

(4:14 pm IST)