રાજકોટ
News of Monday, 20th May 2019

ગોંડલના ઘોઘાવદરમાં બુધવારે સર્વજ્ઞાતિય સમુહલગ્નઃ ૨૩ નવયુગલોના પ્રભુતામાં પગલા

સંત શિરોમણીદાસી જીવણ સાહેબની જગ્યા ગૌશાળા ટ્રસ્ટ દ્વારા કાલે સંતવાણીઃ કલાકારોને અખંડ જીવણ જયોત કુંભ એવોર્ડથી નવાજાશેઃ કરીયાવરમાં ૯૦ વસ્તુઓ

રાજકોટ,તા.૨૦: સંત શિરોમણી દાસી જીવણ સાહેબ ટ્રસ્ટ તથા સંત શિરોમણી દાસી જીવણ સાહેબની જગ્યા ગૌશાળા ટ્રસ્ટ ઘોઘાવદર દ્વારા આયોજીત મુ.ઘોઘાવદર ખાતે આઠમા સમુહ લગ્નનું આયોજન સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારના મેઘાવળ સમાજના આગેવાનોના સહકારથી સૌરાષ્ટ્રના મેઘવાળ સમાજના ૨૩ યુગલના સમુહલગ્નનું આયોજન તા.૨૨ના બુધવારના રોજ કરવામાં આવેલ છે. આ અંતર્ગત કાલે તા.૨૧ના મંગળવારે સંતવાણીનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ભજનીક મગનભાઈ ચૌહાણ, કિસ્મત ચૌહાણ સંતવાણીના કલાકારોને અખંડ જીવણ જયોત કુંભ એવોર્ડથી નવાજવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે ટ્રસ્ટ દ્વારા જુનાગઢના લીલી પરિક્રમામાં અન્નક્ષેત્ર તેમજ મહાશીવરાત્રીમાં બે જગ્યાએ અન્નક્ષેત્ર તથા હડમતીયાના પાલણ પીરના મેળામાં છેલ્લા ૨૦ વર્ષથી અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે.

આ સમુહલગ્નમાં ૨૩ દીકરીઓ પ્રભુતામાં પગલા પાડશે. કરીયાવરમાં ૯૦ થી વધુ વસ્તુઓ આપવામાં આવશે. આ પ્રસંગે દીપ પ્રાગટય ગોરધન બાપા, બાંદરા, મનુબાપુ- મેગણી, લઘુ મહંત ત્રીલોકદાસ, ધારાસભ્ય ગોંડલ ગીતાબા જાડેજા, અલ્પેશભાઈ ઢોલરીયા, નૈનીષભાઈ ધડુક, અનીલભાઈ માધડ, શકિતસિંહ જાડેજા, રીબડા, હરદેવસિંહ જાડેજા- રબિડા, હરદેવસિં જાડેજા- રીબડા, અનીલભાઈ વિરજીભાઈ સોલંકી, ખીમજીભાઈ કલાભાઈ, રાજભા જાડેજા તેમજ સંતો- મહંતો નવદંપતી આર્શીવચન પાઠવશે.

આયોજનને સફળ બનાવવા મહંતશ્રી શામળદાસબાપુ, માતાશ્રી શારદામણી તેમજ લઘુ મહંત ત્રીલોકદાસ શામળદાસ, જેન્તીભાઈ પુનાભાઈ પરમાર (મો.૯૭૨૫૬ ૫૨૬૩૦), નારણભાઈ ભલાભાઈ ખીમસુરીયા મોટા મહિકા, મહેન્દ્રભાઈ બાબુભાઈ સોલંકી- ગોંડલ, સતિષભાઈ દીનેશભાઈ સોલંકી- ઘોઘાવદર, નારણભાઈ બગડા- રાજકોટ, દીપકભાઈ ગોવિંદભાઈ- ઘોઘાવદર, ભીખભાઈ જેઠાભાઈ બગડા- અનીડા, ખીમજીભાઈ કલાભાઈ મકવાણા - ગુંદાળા, પ્રેમજીભાઈ ચનાભાઈ સોલંકી- રાજકોટ, દાફડા જેઠાભાઈ ડી- રાજકોટ, પ્રવિણભાઈ બોરીચા- બીલીયાળા તથા કલાકાર તુલસીદાસ ગોંડલીયા જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:26 pm IST)