રૂ. પાંચ લાખનો ચેક પાછો ફરતાં કોર્ટ દ્વારા આરોપીને હાજર થવા ફરમાન
રાજકોટ તા. ર૦: રૂ. પાંચ લાખનો ચેક રિટર્ન થતા કોર્ટમાં ફરિયાદ થતાં અદાલતે આરોપીને હાજર થવા સમન્સ ઇસ્યુ કરેલ છે.
આ કેસની વિગત એવી છે કે, રાજકોટના કાલાવડ રોડ, આંગન ગ્રીનસીટીમાં રહેતા મુકેશસિંહ રણજીતસિંહ જાડેજાએ તેમના મિત્રતા અને ઓળખાણનો સબંધ ધરાવતા નરેન્દ્રભાઇ દેવરાજભાઇ સોજીત્રા રહેઃ ક્રિષ્નાપાર્ક સોસાયટી, પુષ્કરધામ પાસે, કાલાવડ રોડ, રાજકોટના ને ઉછીના પેટે રોકડા રૂ. પ,૦૦,૦૦૦/- અંકે રૂપિયા પાંચ લાખ પુરા મદદ માટે આપેલા. જે રકમ પરત આપવા બાબતે આ કામના આરોપીએ તેમના ખાતા વાળી દેના બેંક, મેટોડા જી.આઇ.ડી.સી. બ્રાંચ, તા. લોધીકા, જી. રાજકોટનો ચેક આપેલો હતો. જે ચેક ફરીયાદીએ તેમની દેના બેંક, કાલાવડ રોડ બ્રાંચ, રાજકોટમાં ડીપોઝીટ કરતા સદરહું ચેક અપુરતા ભંડોળના શેરા સાથે પરત ફરેલ હતો.
આમ ફરીયાદીએ આ ચેક બિન ચુકતે પરત ફરતા આ કામના આરોપીને ઉપરોકત રકમ ચુકવી આપવાની નોટીસ મોકલાવેલી. આમ છતાં આ કામના આરોપીએ રકમ ચુકવેલી નહીં. તેથી આ કામના ફરીયાદીએ તેમના વકીલ શ્રી અતુલ સી. ફળદુ મારફત ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબ ફોજદારી ફરીયાદ દાખલ કરતા રાજકોટના ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટે આરોપી નરેન્દ્રભાઇ દેવરાજભા સોજીત્રાને સમન્સ ઇસ્યુ કરી કોર્ટમાં હાજર થવા હુકમ કરેલ છે. આ કામમાં ફરિયાદી વતી એડવોકેટ અતુલ સી. ફળદુ રોકાયા હતાં.