માતા-પુત્રી રજની-શિવાની સહીતના કલાકારો શ્રોતાઓને ડોલાવશે
સુરસંસાર દ્વારા આજે રાત્રે હેમુ ગઢવી નાટય ગૃહમાં જુના ગીતોનો યાદગાર કાર્યક્રમ : ભોપાલના રજની ધુરીયાજીનો આખો પરીવાર ગીત સંગીતમાં ઓતપ્રોતઃ પુત્રી શિવાની લતા-આશાના ગીતો રજુ કરશેઃ વિવેક પાંડે-સલીમ મલ્લિક જમાવટ કરશેઃ અચુક માણવા જેવો કાર્યક્રમ
'અકિલા' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે મોદીભાઇ અને ગાયીકા માતા-પુત્રી રજનીબેન-શિવાની નજરે પડે છે. (તસ્વીરઃ પ્રિન્સ બગથરીયા)
રાજકોટ, તા., ર૦ : ભોપાલનો ધુરિયાજી પરિવાર વિશિષ્ટ છે. પરિવારના તમામ સભ્યો ગીત-સંગીતના સાધક છે. આ ઉપરાંત સગા-સંબંધીઓ પણ ગીત-સંગીતની દુનિયામાં વ્યસ્ત છે. સરસ્વતી દેવીની વિશેષ કૃપા ધરાવતા આ પરિવારના રજનીબેન અને પુત્રી શિવાની આજે 'અકિલા'ની મુલાકાતે આવ્યા હતાં.
સુરસંસાર દ્વારા આજે રાત્રે હેમુ ગઢવી હોલમાં જૂના ગીતોનો કાર્યક્રમ આયોજિત થયો છે, જેમાં માતા-પુત્રી રજની-શિવાની સહિતના નામી કલાકારો જૂના ગીતો વરસાવીને શ્રોતાઓને ડોલાવશે.
મુળ ભોપાલના રજનીબેન શમશાદ - નુરજહાંના ગીતો રજૂ કરે છે. તેઓએ જણાવ્યું હતું કે, મારા માતુશ્રી ફોક ગાયિકા હતાં. બાળપણથી જ સંગીતમય ઉછેર થયો છે. રજનીબેનની દીકરી શિવાની લતા-આશાના ગીતોમાં જમાવટ કરે છે. શિવાની પણ બાળપણથી સંગીત-ગીતની દુનિયામાં ઓતપ્રોત છે તેણી ધો. ૧ર માં અભ્યાસ કરે છે. રજનીબેનનો પુત્ર વતન બોલીવુડ સ્ટાર્સના લાઇવ કાર્યક્રમોમાં વિદેશમાં સંગીત આપવા જાય છે. બીજો પુત્ર ગીટારનો નિષ્ણાત છે. રજનીબેના ભત્રીજા-બેન-બનેવી બધા જ ગીત-સંગીતની દુનિયામાં વ્યસ્ત છે. રજનીબેને શમશાદજી સાથે બે કલાક મુલાકાત કરી હતી. શામશાદજી ખુશ થયા હતા અને ટીપ્સ આપીશ. આ રજનીબેનના જીવનનો યાદગાર પ્રસંગ હતો.
રજનીબેન નિયમિત રિયાઝ કરે છે, તે કહે છે કે, ઓમ ધ્વનિનો રિયાઝ ગાયક માટે શ્રેષ્ઠ છે.
જુના ફિલ્મ ગીતોના ગુંજન માટે રાજકોટની એક અનોખી સંસ્થા -કલબ જે આજે ૨૪ અડીખમ વર્ષોથી જુના ફિલ્મી ગીતોનો દિપક પ્રજવલીત રાખ્યો દેદીપ્યમાન બનાવ્યો તેનો ૨૫માં વર્ષમાં પ્રવેશ કરેલ છે.
૨૫માં વર્ષનો પ્રથમ કાર્યક્રમ-સળંગ ૧૪૫મો કાર્યક્રમ તા.૨૦મેના સોમવારે શ્રી હેમુગઢવી નાટયગૃહ રાજકોટ ખાતે રજુ થશે. સરગમ કલબ સંચાલીત
આ કાર્યક્રમમાં ચાર દિગ્ગજ કલાકારો શ્રોતોઓને રફી સાહેબ, મન્નાડે અને તલતજીના ગીતોના ગાયક શ્રી વિવેક પાંડે સાથે મુકેશજીના ગીતોના અદલ ગાયક શ્રી સલીમ મલ્લિક અને શમશાદજી નુરજહાંજી વિ.ના ગીતોની બેતાજ ગાયીકા સુરોની મહારાણી શ્રીમતી રજની ધુરીયાજી તથા લતાજી આશાજીના ગીતોની ગાયીકા ૧૭ વર્ષીય અફલાતુન અવાજ ધરાવતા ગાયિકા કુ. શિવાની મનોરંજક પ્રસ્તુતિ કરશે.
સંગીતવૃંદ વડોદરાના શ્રી મયુર પટેલ અને સાથીદારોનું રહેશે ઉદઘોષિકા તરીકે સુર-સંસારમાં પ્રથમવાર પરંતુ ઘણા અનુભવી શ્રીમતી રશ્મી માણેક કલાકારો અને શ્રોતાઓ વચ્ચેનો સેતુ બનશે.
શ્રોતાઓનું પ્રિય અને મુંબઇ-કોલકતા- ગુજરાતના કલાકારેની ખુબ પ્રશંસા પામતુ સુર સંસારનું કોરસ વૃંદ ગાયકો અને વાદકોને અનેરો સુર-સંગાથ આવશે.
આ અંગે વધુ માહિતી માટે ફોનનં.(૦૨૮૧) ૨૫૭૭૫૬૩ ઉપર સંપક કરવા જણાવાયું છે.