રાજકોટ
News of Monday, 20th May 2019

વૈશાલીનગરમાં દરજી વૃધ્ધા અનસુયાબેન ગોહેલનું અગ્નિસ્નાન

ખંજવાળથી કંટાળીને પગલું ભર્યુઃ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૦: રૈયા રોડ પર વૈશાલીનગર-૩માં રહેતાં અનસુયાબેન ચમનભાઇ ગોહેલ (ઉ.૭૫) નામના દરજી વૃધ્ધાએ અગ્નિસ્નાન કરી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

અનસુયાબેનને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. પતિ ચમનભાઇ નિવૃત જીવન ગાળે છે. અનસુયાબેનને આખા શરીરમાં ખંજવાળ આવતી હોઇ દવા કરાવવા છતાં સારું થતું ન હોઇ આ પગલું ભર્યાનું બહાર આવ્યું છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.

(4:04 pm IST)