રાજકોટ
News of Monday, 20th May 2019

ગ્રીનલેન્ડ ચોકડી પાસે આડેધડ દબાણોઃ પુર્વ વિસ્તારના મામલતદાર દ્વારા ૩૦ દુકાનદારોને નોટીસ

રાજકોટ તા. ર૦ : રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર ગ્રીન લેન્ડ ચોકડી પાસે આડેધડ દબાણો ખડકાઇ ગયાની વિગતો બહાર આવ્યા બાદ અને સતત ટ્રાફીક જામના પ્રશ્નો સર્જાતા હોય, એક સર્વે બાદ પુર્વ વિસ્તારના મામલતદાર દ્વારા ૩૦ જેટલા દબાણકર્તા દુકાનદારોને  કલમ ર૦ર મુજબ નોટીસો ફટકારી ૭ દિ'માં દુકાનો હટાવી લેવા-જગ્યા ખાલી કરવા અંગે ચેતવણી આપી દિધી છે.

આ અંગે અગાઉ કલમ ૬૧ મુજબ ખાલસાના ચુકાદા પણ અપાયા હતા., દુકાનદારોએ સુનાવણીમાં જે દાવા કર્યા તે માન્ય રખાયા નથી.

મામલતદાર કચેરીના સૂત્રોના ઉમેર્યા પ્રમાણે, મતગણતરી બાદ ડીમોલીશન થઇ શકે છે, આ માટે એસઆરડી-પોલીસનો બંદોબસ્ત મંગાયો છ, સાથોસાથ માર્ગ અને મકાન વિભાગ, કોર્પોરેશનને સાથે રાખી દબાણ હટાવાશે.

(3:58 pm IST)