રાજકોટ
News of Monday, 20th May 2019

પંખીઓ માટે પાણીના કુંડા અને ચકલીના માળાનું વિતરણ

રાજકોટ  : ઉનાળાના ધોમધખતા તાપમાં માનવજાતને મુશ્કેલી પડી રહી છે ત્યારે મુંગા પશુ-પંખીને પાણી મળી રહે અને ચકલા, કબુતરને ચણ મળી રહે એ હેતુ થી ગુજરાત યુવા સંગઠન અને બૃહદ રાજકોટ પ્રતિષ્ઠાન દ્વારા રેસકોર્ષ રીંગ રોડ, બહુમાળી ભવન ચોક ખાતે પાણીના કુંડા, ચકલીના માળા વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રાજુભાઇ જાુંજા, હીરેનભાઇ દુધાત્રા, જયદિપ રામાણી, ભરતભાઇ પ્રજાપતિ, અજયભાઇ મુરાસીયા, પારૂલબેન રામાણી, સંગીતાબેન રામાણી, અમીતભાઇ રામાણી, રમેશભાઇ પટેલ, બ્રીજેશભાઇ પટેલ, હંસાબેન ભુત, સુશીલાબેન પાંભર, સેફાલીબેન, મોહીતભાઇ પ્રજાપતિ વિગેરે કાર્યકરો જોડાયા હતા. (૪૦.૧૩)

(3:55 pm IST)