News of Tuesday, 20th April 2021
પરશુરામ ધામ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબીના ઉપક્રમે બ્રહ્મ પરિવાર માટે વિનામુલ્યે કોરોના કેર અને આઇસોલેસન સેન્ટર શરૂઃ બ્રહ્મસમાજના ડોકટરોની ટીમ
પરશુરામ ધામ, મોરબી ખાતે કોવિડ કેર તથા આઇસોલેસન સેન્ટર જયદીપ કોર્પોરેશનના માલિક દિલુભા જાડેજાના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું. આ પ્રસંગે મોરબીના ખ્યાતનામ બ્રાહ્મણ ડો.ભાવનાબેન જાની, ડો.પ્રદીપભાઇ ભટ્ટ, ડો.આશિષભાઇ ત્રિવેદી, ડો.ચિન્મયભાઇ ત્રિવેદી, ડો.બિપીનભાઇ લેહેરૂ, ડો.તૃપ્તિબેન દવે, ડો.મેઘાબેન દવે સહિતના ડોકટર હાજર રહયા હતા. આ કોવિડ કેર અને આઇસોલેશન સેન્ટરમાં બ્રાહ્મણ પરિવારના કોરોનાગ્રસ્ત દર્દીઓને વિના મૂલ્યે સારવાર આપવામાં આવશે તેમ ભાવેશ આચાર્યની યાદી જણાવે છે.
(4:32 pm IST)