કોઠારીયા નાકા મિત્ર મંડળ દ્વારા નિઃશુલ્ક છાસ કેન્દ્રનો પ્રારંભ
ઉનાળાની ઋતુમાં જરૂરતમંદ પરીવારોને નિઃશુલ્ક છાસ વિતરણ કરવા કોઠારીયા નાકા મિત્ર મંડળ દ્વારા કેન્દ્ર શરૂ કરાયુ છે. છેલ્લા ૨૨ વર્ષથી મનસુખલાલ જીવરાજભાઇ શાહ (ભાડલાવાળા) પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી જરૂરતમંદ પરિવારો માટે શરૂ કરાતા આ વિનામુલ્યે છાસ કેન્દ્રનો મહાવીર જયંતિના દિવસે એ.વી.પી.ટી. એન્જી. કોલેજના આચાર્ય એ. એસ. પંડયા, ગીરીશભાઇ પરસાણા, જ્ઞાતિ અગ્રણી બી. કે. પટેલ, દિપકભાઇ શાહ, અનિલભાઇ શાહ (મનસુખલાલ જીવરાજભાઇ ભાડલાવાળા), પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીના મુખ્ય મહેમાન પદે તેમજ કૌશિકભાઇ દવે, રાજુભાઇ મહેતા, ભરતભાઇ ત્રિવેદીના અતિતિપદે પ્રારંભ કરાયો હતો. આ છાસ કેન્દ્રનો ૪૮ માં વર્ષમાં પ્રવેશ થયો છે. ઉનાળાના ત્રણ માસ દરમિયાન ૨૫૦ પરિવારો આ છાસ કેન્દ્રનો લાભ લેશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કિશોરભાઇ પરસાણા, કૌશિકભાઇ દવે, રાજુભાઇ મહેતા, પરેશભાઇ ઝાલા, નિરવભાઇ પારેખ, યશવંતભાઇ પાટડીયા, કેવીન દોશી તેમજ અન્ય સભ્યોએ જહેમત ઉઠાવી હતી.