જાગનાથ પ્લોટમાંથી ગૂમ થયેલી ૩ બાળા સોમનાથ દર્શને પહોંચી'તી
પ્ર.નગર પોલીસે ભારે દોડધામ બાદ શોધી કાઢતા સૌને હાશકારો
રાજકોટઃ જાગનાથ પ્લોટ વિસ્તારમાં રહેતી ત્રણ નેપાળી બહેનપણીઓ ગઇકાલે ઘરેથી કોઇને કહયા વગર નિકળ્યા બાદ તેના પરીવારજનોએ ત્રણેયની શોધખોળ આદરીહતી. પરંતુ ત્રણેયનો કોઇપતો ન લાગતા પરીવારજનોએ પ્ર.નગર પોલીસમથકમાં જાણ કરતા જ પીઆઇ બી.એમ. કાતરીયા તથા પીએસઆઇ એસ.એન.જાડેજા, ઓ.પી.સીસોદીયા તથા હેડ કોન્સ. દેવશીભાઇ ખાંભલા, અરવિંદભાઇ, અશોકભાઇ કલાલ, પ્રદીપસિંહ ગોહીલ, કૌસેન્દ્રસિંહ ઝાલા અને હેમેન્દ્રભાઇવાઢીયા સહીતના સ્ટાફે શહેરના જુદા જુદા સ્થળોએ આ ત્રણ બાળાઓને શોધવામાટે દોડધામ કરી હતી. દરમિયાન બાતમી મળતા જ ત્રણેય બાળાઓને પોલીસે ગણતરીના કલાકોમાં જ સોમનાથથી હેમખેમ શોધી કાઢી હતી. ત્રણ બાળાઓની પુછપરછ કરતા સોમનાથ દર્શન કરવા ગયા હોવાનું જણાવ્યું હતું. આ બાળાઓ હેમખેમ મળી આવતા તેના પરીવારજનોએ હાશકારો અનુભવ્યો હતો.