News of Friday, 20th April 2018
દલિત સમાજ સંયમ જાળવે, સિધ્ધાર્થ પરમારની અપીલ
જવાબદારોને ચોક્કસ સબક શિખવાડશું
રાજકોટ તા. ૨૦: રાજનગર ચોકમાં ડો. આંબેડકરની પ્રતિમા હટાવવાના મુદે પૂર્વ ધારાસભ્ય સિધ્ધાર્થ પરમારે સમાજને શાંતિ જાળવવાની અપીલ કરતા જણાવ્યું છે કે, પ્રતિમા મહાનગરપાલિકા દ્વારા હટાવવાનું પ્રાથમિક રીતે જાણવા મળેલ છે. રાજકોટની પ્રજાનો કોઇ વાંક નથી. પ્રજાને તકલીફ ઉભી થાય તેવું કંઇ કરશો નહિ. કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ અને શાસક પક્ષને તેના કૃત્ય બદલ કાયદાની મર્યાદામાં રહીને ચોક્કસ સબક શીખવાડશું દલિત સમાજ સંયમ જાળવે તે જરૂરી છે. (૧.૨૧)
(4:09 pm IST)