ગુજરાતમાં રેપ- હત્યાકાંડ અટકાવો પીડીતોને તાકિદે ન્યાય અપાવો
કલેકટરને આવેદનઃ વિસ્તૃત રજુઆત
રાજકોટ, તા.૨૦: અખીલ ભારતીય યદુવંશી મહાસભાના મનીષભાઇ ચાવડા, આહિર એકતા મંચના અર્જૂન આંબલીયા વિગેરેએ કલેકટરને આવેદન પાઠવી ગુજરાતમાં રેપકાંડ-હત્યાઓ અટકાવવા-ભોગ બનેલાને જડપી ન્યાય અપવવા માંગણી કરી હતી. આવેદનામાં જણાવેલ કે, સુરતમાં ૧૧ વર્ષની બાળકી પર આઠ દિવસ સુધી રેપ કરી માસુમ બાળકીની હત્યા કરી નાખવામાં આવી છે તેના આજ દસ-પંદર દિવસ થઇ ગયા છતાં આરોપીઓ પકડાયા નથી... આરોપીઓ તો દુરની વાત હજી આ બાળકીની પાકી ઓળખ પણ નથી થઇ.ેે તેવો જ એક બીજો બનાવ .. ૭ એપ્રિલના રોજ અમદાવાદની ચાર વર્ષની બાળકીનું ધોળા દિવસે અપહરણ થયેલ એનો પણ અત્યાર સુધી કોઇ પતો નથી આ અંગે પરિવાર દ્વારૉ કરેલી રજૂઆત છંતા પણ તંત્રનું પાણી હલતું નથી... માટે આ બાબાતે લોકોમાં રોષ ફાટી નીકળે અને ગુજરાતની શાંતિ ડહોળાઇ તે પહેલા સરકાર જેમ બને તેમ ઝડપથી યોગ્ય પગલાં લેવા અને આરોપીઓને પકડી કડક સજા અપાઇ એવી વિનંતી છે.(૨૨.૪)