રાજકોટ
News of Wednesday, 20th March 2019

'વિશ્વનિડમ ગુરૂકુલમ નિર્માણ' અર્થે શુક્રવારે લોકડાયરો : ભવ્ય કાર્યક્રમ

ડાયરા સમ્રાટ માયાભાઈ આહિર અને હાસ્ય કલાકાર મિલનભાઈ ત્રિવેદી જમાવટ કરશે

રાજકોટ, તા. ૨૦ : વિશ્વનીડમ છેલ્લા ૧૯ વર્ષથી છેવાડાના સમાજમાં શિક્ષણનું જ્ઞાન પીરસી રહ્યા છે ત્યારે હવે આગામી દિવસોમાં ઈશ્વરીયાની સીમમાં ગુરૂકુલમનું નિર્માણ થનાર છે. જેના લાભાર્થે ભવ્ય લોકડાયરો યોજાયો છે.

કાલાવડ રોડ ઉપર મોટામવા રંગોલી રેસ્ટોરન્ટની બાજુમાં આવેલ સેલીબ્રેશન પાર્ટી પ્લોટ ખાતે તા.૨૨ના શુક્રવારે રાત્રીના ૯ કલાકે આયોજીત ભવ્ય લોકડાયરામાં જાણીતા ડાયરા સમ્રાટ શ્રી માયાભાઈ આહિર અને જાણીતા હાસ્ય કલાકાર શ્રી મિલનભાઈ ત્રિવેદી જમાવટ કરશે.

આ પ્રસંગે સર્વશ્રી કોશિકભાઈ મહેતા (ફુલછાબ), લાભભાઈ ખીમાણીયા (ઈનોવેટીવ સ્કુલ), કિશોરભાઈ હાપલીયા, જેન્તીભાઈ કાલરીયા, દિલીપભાઈ પટેલ વિ. ઉપસ્થિત રહેશે. તસ્વીરમાં વિશ્વનીડમના જીતુભાઈ (મો.૯૪૨૭૭ ૨૮૯૧૫) અને ઘનશ્યામભાઈ ઠક્કર નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:18 pm IST)