રાજકોટ
News of Wednesday, 20th March 2019

મારૂતિ કુરીયર સર્વિસના દ્વારા શહીદ ફંડમાં વધુ રૂ.૨,૫૧૦૦૦ નું યોગદાન

રાજકોટ : પુલવામા આત્મઘાતી હુમલાની ઘટનામાં શહીદી વહોરનાર વીર જવાનોને ભાવભરી શ્રધ્ધાંજલી સાથે તેમના પરિવારને મદદરૂપ બનવા મારૂતિ કુરીયાર સર્વીસ પ્રા.લી.ના ચેનલ પાર્ટનર અને સ્ટાફ પરિવાર દ્વારા રૂ. ર,૫૧૦૦૦ નું યોગદાન શહીદ ફંડમાં અર્પણ કરવામાં આવેલ છે. અહીં ઉલ્લેખનીય છે કે આ પૂર્વે પણ મારૂતિ કુરીયર સર્વીસીઝ દ્વારા કંપની સી.એમ.ડી. રામભાઇ મોકરીયા (મો.૯૯૨૫૧ ૧૮૯૯૯) એ રૂ.૧૧,૧૧,૧૧,૧૧૧ અર્પણ કરેલ હતા.

(3:43 pm IST)