રાજકોટની ૧પ વર્ષની સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર અમદાવાદનો સુનીલ પકડાયો
માલવીયાનગર પોલીસે કોળી શખ્સને અમદાવાદથી દબોચ્યો
રાજકોટ તા. ર૦ : શહેરના માલવીયાનગર વિસ્તારની સગીરાનું અપહરણ અને બળાત્કારના ગુન્હામાં અમદાવાદના કોળી શખ્સને માલવીયાનગર પોલીસે અમદાવાદથી ઝડપી લીધો હતો.
મળતી વિગત મુજબ માલવીયાનગર વિસ્તારમાં રહેતી ૧પ વર્ષની સગીરા બાર દિવસ પહેલા અજાણ્યો શખ્સ લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી ગયો હોવાની માલવીયાનગર પોલીસ મથકમાં ફરીયાદ થઇ હતી. આ બનાવમાં પી.આઇ.એન.એન. ચુડાસમા તથા રાઇટર પરેશભાઇ જારીયા, હેડ કોન્સ જાવેદભાઇ રીઝવી તથા અરૂણભાઇ બાંભણીયા સહિતે તપાસ દરમ્યાન અમદાવાદના ખોડીયારનગર ઓતંબા સોસાયટી ઘર નં.૧૧પમાં રહેતો સુનીલ ભીખાભાઇ ડાભી (ઉ.વ.ર૭) ને અમદાવાદથી પકડી લીધો હતો . પોલીસની પુછપરછમાં સુનીલ અમદાવાદમાં આવેલી ટ્રાવેલ્સની ઓફીસમાં ટીકીટ બુકીંગનું કામ કરે છે અને ટ્રાવેલ્સની ઓફીસમાં સગીરા પર બળાત્કાર ગુજાર્યો હોવાની કબુલાત આપી હતી. આ અંગે પોલીસે તેના રીમાન્ડની તજવીજ હાથ ધરી છે.