રાજકોટ
News of Wednesday, 20th March 2019

જામનગરમાં એસઆરપીમેનના પત્નિએ અગ્નિસ્નાન કર્યુઃ રાજકોટ સારવારમાં

માનસિક બિમારીથી કંટાળી પગલું ભરી લીધાનું પતિનું કથન

રાજકોટ તા. ૨૦: જામનગર એસઆરપી કેમ્પ-૧૭માં ફરજ બજાવતાં જયદેવભાઇ સોયા (ગઢવી)ના પત્નિ ગીતાબેન (ઉ.૪૭)એ શરીરે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતાં જામનગર, અમદાવાદ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

જયદેવભાઇના કહેવા મુજબ માનસિક બિમારીથી કંટાળીને તેણીએ આ પગલું ભર્યુ છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જામનગર પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

(11:43 am IST)