૧૬ વાહનો સળગાવવાના અને મારામારીના ગુન્હામાં સામેલ જીજ્ઞેશ ઉર્ફે ભયલુ પાસામાં
ભકિતનગર પોલીસે અગાઉ છ શખ્સોની ધરપકડ કરી હતી : અને બે શખ્સોને પાસામાં ધકેલાયા હતા
રાજકોટ, તા. ર૦ : કોઠારીયા રોડ ઉપર રણુજા મંદિર પાછળની સોસાયટીમાં વાહનો સળગાવાના અને મારામારીના ગુન્હામાં સામેલ શખ્સને પાસામાં ધકેલી દેવાયો છે.
મળતી વિગત મુજબ કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાછળ આવેલી ગણેશનગર, તીરૂપતિ પાર્ક, અને શિવધામ સોસાયટીમાં થોડા દિવસ પહેલા નવ જેટલા શખ્સોએ આતંક મચવી ૧૬ જેટલા વાહનો સળગાવ્યા હતા. આ બનાવ અંગે ભકિતનગર પોલીસમાં ફરીયાદ નોંધાતા પી.આઇ. વી.કે. ગઢવી તથા રાઇટર નિલેશભાઇ મકવાણા સહિતે અગાઉ છ શખ્સોની ધરપકડ કરી હતી અને ત્રણ શખ્સોની શોધખોળ આદરી છે. આ બનાવમાં ભકિતનગર પોલીસે અગાઉ સુરેશ ઉર્ફે સુરો તથા પૃથ્વીરાજસિંહને પાસા કરવામાં આવી હતી. દરમ્યાન વાહનો સળગાવતા તેમજ મારમારીના અનેક ગુન્હામાં સામેલ જીજ્ઞેશ ઉર્ફે ભયલુ દીનેશભાઇ રાબા (ઉ.વ.૧૯) (રહે. આશાપુરાનગર, કોઠારીયા રોડ) ને પાસામાં ધકેલવા માટે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહર્લોતે વોરંટ ઇશ્યુ કરતા ભકિતનગર પોલીસ મથકના પીઆઇ વી.કે. ગઢવી, હેડકોન્સ. નિલેશભાઇ રાણાભાઇ કુગશીયા, દિપકભાઇ ડાંગર, ભાવેશભાઇ મકવાણા, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને પ્રવીણભાઇ ડાંગર સહિતના સ્ટાફે જીજ્ઞેશ ઉર્ફે ભયલુ રાબાની પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ જેલમાં ધકેલી દીધો છે.