ચાર દિ' પહેલા ઝેર પી લેનારા ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના રવિ બાવળીયાએ દમ તોડયો
ચાંદી કામ કરતાં યુવાને બેભાન હાલતમાં જ દમ તોડયોઃ કારણ અકળ
રાજકોટ તા. ૨૦: ચાર દિવસ પહેલા મોરબી રોડ સેટેલાઇટ ચોક ઇન્દ્રપ્રસ્થ સોસાયટી-૪માં રહેતાં રાજ ધીરૂભાઇ બાવળીયા (ઉ.૨૪) નામના યુવાને ઝેરી દવા પી લેતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. તેનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.
રાજ બાવળીયાએ રવિવારે ૧૬મીએ ઘરે હતો ત્યારે બપોરે ત્રણેક વાગ્યે ઝેરી પાવડર પી લેતાં કુવાડવા રોડની ગોકુલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. તે બેભાન હાલતમાં જ હોઇ તેનું નિવેદન નોંધી શકાયું નહોતું. સારવાર દરમિયાન તેણે દમ તોડી દેતાં હોસ્પિટલથી જાણ થતાં બી-ડિવીઝનના એએસઆઇ કે. સી. સોઢા અને મનોજભાઇ ગઢવીએ પ્રાથમિક કાર્યવાહી કરી હતી. રાજ ચાંદી કામની મજૂરી કરતો હતો. બે ભાઇમાં મોટો અને અપરિણિત હતો. રવિવારે બહારથી દવા પી ઘરે આવ્યા બાદ બેભાન થઇ ગયો હતો. તેણે આ પગલુ શા માટે ભર્યુ? તે અંગે પોલીસે તપાસ યથાવત રાખી છે.