કોઠારીયા રોડ ગોકુલપાર્કમાં રાજુ ગોસ્વામીની છરીના ઘા ઝીકી હત્યા : સમાધાન માટે બોલાવી રહેંસી નાખ્યો
રાજકોટ : વાવડી ગામમાં રહેતો રાજુ સુરેશભાઈ ગોસ્વામી નામનો યુવાન આજે સાંજે કોઠારીયા રોડ ગોકુલપાર્કમાં આવેલ હરિદર્શન નામની દુકાન પાસે તેના મિત્રો જયેશ મંડ ,દેવો જાડેજા,અને દિવ્યેશ લાવડીયા સાથે ઉભો હતો અને સામાન્ય બોલાચાલી થતા મિત્રોએ ઉશ્કેરાઈને રાજુ ગોસ્વામીને પેટના છરીના ઘા ઝીકી દેતા હત્યા કરી નાખી હતી
આ બનાવ બાદ દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતા ત્રણેય શખ્શો ભાગી ગયા હતા બાદમાં બાવાજી યુવાનને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તબીબોએ તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરતા પોલીસને જાણ કરવામાં આવી હતી બાવાજી યુવાન રાહુલ ઉર્ફે ગોસ્વામીની હત્યામાં એવું ખુલ્યું છે કે સમાધાન માટે બોલાવી રહેંસી નાખ્યો છે
કોઠારીયા રણુજા મંદિર બાલાજી કોમ્પ્લેક્સ સામે મૂળ વાવડીના રાહુલ ઉર્ફે રાહુ સુરેશભાઈ ગોસ્વામીને છરીના ઘા ઝીંકી આંતરડા કાઢી નાખી હત્યા કરાઈ છે ગઈકાલે ઝગડો થયો હતો. આજે સમાધાન માટે ભેગા થયા ને હત્યા થઈ હોવાનું જાણવા મળે છે
આજીડેમ પીઆઇ એ.એસ. ચાવડા અને ટીમ, ક્રાઇમ બ્રાન્ચ ટીમ, એસીપી એચ.એલ. રાઠીડ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે ,
મૃતક પરિવારનો એક જ દીકરો હતો.