મવડી મેઈન રોડ પરની શ્રીનાથજી સોસાયટીમાં 40 જેટલા અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો
પોલીસ સમન્વય લખેલી ગાડીમાં નશામાં ધૂત તત્વોએ કર્યો હુમલો : કેટલીક કાર -અનેક ટુ વહીલરમાં તોડફોડ
રાજકોટ : રાજકોટમાં આજે રાત્રે મવડી મેઈન રોડ પર આવેલ શ્રીનાથજી સોસાયટીમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો પોલીસ સમન્વય લખેલી ગાડીમાં 40 જેટલા આવારા તત્વોએ નશામાં ધૂત થઈને હથિયાર સાથે આવીને રીતસરનો આતંક મચાવ્યો હતો કેટલીક ગાડીઓ અને અનેક ટુ વહીલરમાં તોડફોડ કરી હતી
જાણવા મળ્યા મુજબ આજે રાત્રે પોલીસ સમન્વય લખેલી જીજે-3 એફડી 0936 નંબરની કારમાં આવેલા આવારા તત્વોએ આતંક મચાવ્યો હતો ચર્ચાતી વિગત મુજબ શ્રીનાથજી સોસાયટીમાં રહેતા દીપકભાઈ મોચીના ઘર પર હુમલો કર્યો હતો દીપકભાઈ મોચી આશરે દોઢેક વર્ષ પહેલા કારખાનામાં નોકરી કરતા હતા પરંતુ ત્યાંથી નીકળી ગયાનો ખાર રાખીને અસામાજિક તત્વો તૂટી પડયા હતા
દરમિયાન આસપાસ પાર્ક થયેલ અનેક વાહનોમાં તોડફોડ કરી હતી આ બનાવથી સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ ઉભો થયો છે