રાજકોટ
News of Tuesday, 19th November 2019

અમિતભાઇને મળતા ડો. કથીરીયા

 રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો. વલ્લભભાઇ કથીરિયાએ ગૃહમંત્રી અમિતભાઇ શાહની મુલાકાત લઇ રાષ્ટ્રમાં ગૌમાતા અને ગૌવંશના રક્ષણ, સંવર્ધન અને વિકાસના કાર્યો અંગે તેઓને માહીતગાર કર્યા હતા. બાંગ્લાદેશની બોર્ડર પર થઇ રહેલ ગૌવંશના નિકાસ અંગ્રે પણ ચર્ચા કરી ત્વરીત પરીણામલક્ષી નિર્ણય લેવા અપીલ કરાઇ હતી. ડો. કથીરીયાએ ગૌમાતાની પ્રતિમા, ગૌ મહિમા અંગે કોફી ટેબલ બુક આપી તેમજ શાલ ઓઢાડી ગૃહમંત્રી અમિતભાઇ શાહનું અભિવાદન કર્યુ હતુ.

(4:26 pm IST)