આકાશવાણી ચોક પાસે પી.ડબલ્યુ.ડી. ના કવાર્ટરમાં હાર્ટએટેકથી બટુકભાઇનું મોત
મોરબીના બારોટ યુવાનનું રાજકોટમાં ભાઇના ઘરે મોત
રાજકોટ તા ૧૯ : યુનિવર્સિટી રોડ આકાશવાણી ચોર પાસે પી.ડબલ્યુ.ડી.ના કવાર્ટરમાં રહેતા ભરવાડ પ્રોૈઢનું હાર્ટએટેક આવતા તેનું મોત નીપજયું હતું.
મળતી વિગત મુજબ કાલાવડ રોડ વિરડા વાજડીના હાલમાં યુનિવર્સિટી રોડ, આકાશવાણી ચોક પાસે પી.ડબલ્યુ.ડી. ના કવાર્ટર નં. ૧૦૮માં રહેતા બટુકભાઇ રૈયા ભાઇ બાબરીયા (ઉ.વ.પપ) ગઇકાલે પોતાના ઘરે હતા , ત્યારે એકાએક બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક બટુકભાઇ પાણી પુરવઠા વિભાગમાં નોકરી કરતા હતા તેને સંતાનમાંએક પુત્ર અને બે બુત્રી છે. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. બોઘાભાઇ ભરવાડ તથા રાઇટર લક્ષ્મણભાઇએ કાર્યવાહી કરી હતી.
જયારે બીજા બનાવમાં મોરબીની શાંતીવન સોસાયટીમાં રહેતા વિજયભાઇ દેવાયતભાઇ પરમાર (ઉ.વ.૨૮) ને પેટમાં દુઃખાવોઉપડતા તેને મોરબીની હોસિપટલમાં સારવાર માટે ખસેડાયા હતા, બાદ ત્યાંથી તેને વધુસારવાર માટે રાજકોટ ખસેડાયા હતા, ત્યાં તેને સારૂ થઇ જતા રાજકોટ ભગવતીપરા જયપ્રકાશનગર શેરી નં.૬/૧ માં રહેતા અજીતભાઇ દેવાયતભાઇ પરમારના ઘરે રોકાયા હતા. ગઇકાલે તે અચાનક બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક િઁવજયભાઇ પાંચ ભાઇ, ચાર બહેનમાં નાના હતા. આ અંગે બી ડીવીઝન પોલીસ મથકના અહહે.એસ.આઇ. એસ.ડી. પાદરીયાએ કાર્યવાહી કરી હતી.