News of Tuesday, 19th November 2019
પરસાણાનગરના વૃધ્ધા હરિબેન બેડીયાનું બેભાન હાલતમાં મોત
વોકહાર્ટમ હોસ્પિટલાંથી સિવિલમાં લાવ્યા ત્યાં જ દમ તોડ્યોઃ મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ
રાજકોટ તા. ૧૯: જામનગર રોડ પર પરસાણાનગર-૫માં રહેતાં હરિબેન જીવણભાઇ બેડીયા (ઉ.વ.૬૨) નામના વાલ્મિકી વૃધ્ધા બિમાર હોઇ ૧૬મીએ વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ત્યાંથી ગઇકાલે જ બેભાન જેવી હાલતમાં સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવતાં તેમણે દમ તોડી દીધો હતો.
બનાવ અંગે હોસ્પિટલ ચોકીના એએઅસાઇ જગુભા ઝાલા અને રાજભાઇએ પ્ર.નગરમાં જાણ કરતાં એએસઆઇ સુરેશભાઇ જોગરાણા અને બાબુલાલે જરૂરી કાર્યવાહી કરી હતી. જો કે સિવિલના તબિબોએ મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવવાનું કહ્યું હતું. મૃતકને સંતાનમાં ત્રણ પુત્ર છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
(11:46 am IST)