News of Monday, 19th November 2018
શાપર-વેરાવળ ની ૧૬ વર્ષની સગીરાનું અપહરણ : એમ.પી. ના પંકજ સામે ગુનો
રાજકોટ તા ૧૯ : શાપર-વેરાવળમાં રહેતી ૧૬ વર્ષની સગીરાને એમ.પી.નો શખ્સ ભગાડી જતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ શાપર-વેરાવળમાં રહેતી ૧૬ વર્ષની સગીરાને મધ્યપ્રદેશના જાંબવા નાગેળા ગામનો પંકજ પપ્પુભાઇ ડામરા ગત તા. ૧૪/૧૧ ના રોજ લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ભગાડી ગયો હતો. આ બનાવમાં સગીરાના પિતાએ શાપર-વેરાવળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પંકજ ડામરા વિરૂધ્ધ અપહરણ અને પોકસો ની કલમ હેઠળ ગુંનો નોંધી ગોંડલ પોલીસ મથકના પી.આઇ.ે કે. આર. રાવતે તપાસ હાથ ધરી છે.
(12:33 pm IST)