રાજકોટ
News of Tuesday, 19th October 2021

મુસ્લિમ સમાજ દ્વારા સેવાકાર્યઃ માનવતાની જયોત મહેકી

રાજકોટઃ ઇદેમિલાદ નિમિતે મુસ્લિમ સમાજ દ્વારા વિકલાંગ ભવન, અનાથાશ્રમમાં ભોજન કરાવાયું હતું. પાંજરાપોળમાં ઘાસનું અર્પણ સહિતની સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવેલ. આ કાર્યમાં  ઇદે મિલાદ કમીટીના  પ્રમુખ હાજી યુસુફભાઇ જુણેજાના માર્ગદર્ર્શન હેઠળ યુનુશ જુણેજા, મહેબુબભાઇ અજમેરા, હારૂનભાઇ શાહમદાર, ફારૂખ બાવાણી, યાકુબખાન પઠાણ, રાજુભાઇ દલવાણી,  રજાકભાઇ જુણેજા, ઇમરાન પરમાર, ઇલુભાઇ મેમન, યુસુફભાઇ જે કે, મહેબુબભાઇ સાખુલા, ફારુક કટારીયા, અનવરભાઇ દલ, રમજાનભાઇ ભલુર, આશીફ કારવા, ઇકબાલ કુરેશી વગેરે મુસ્લિમ આગેવાનોએ હાજરી આપી માનવતાના જયોત મહેકાવી હતી.

(4:22 pm IST)