રાજકોટ
News of Monday, 19th October 2020

કોરોના કાળમાં અવસાન પામેલા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, કોંગ્રેસના કોર્પોરેટર હારૂનભાઇ, ભાજપના પૂર્વ કોર્પોરેટર ભીખાભાઇ વસોયા, ચારૂબેન ચૌધરી, વિનુભાઇ તળપદાને જનરલ બોર્ડમાં શ્રધ્ધાંજલિ

રાજકોટઃ  મ.ન.પા.ની વર્તમાન બોડીનું છેલ્લુ જનરલ બોર્ડ આજે યોજાયુ હતુ. જેમાં કોરોના મહામારીમાં જીવનપર્યંત લોકોની સેવામાં ખડેપગે રહેનારા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, વોર્ડ નં. ૧૬ના કોંગ્રેસના કોર્પોરેટર હારૂનભાઇ ડાકોરા તેમજ પૂર્વ ડે.મેયર અને શહેર ભાજપ પ્રમુખ ભીખાભાઇ વસોયા કે જેઓનો શહેરના મવડી વિસ્તારના વિકાસમાં મોટો ફાળો રહ્યો છે. લોક પ્રશ્નો માટે છેલ્લા શ્વાસ સુધી લડતા રહ્યા હતા.  આ બંને સમાજસેવીઓ કોરોના સામે હારી ગયા અને ત્યારે બંનેની સેવાભાવનાને બિરદાવી આવા આગેવાનોની ખોટ પડી હોવાની લાગણી સાથે સમગ્ર જનરલ બોર્ડ મરર્હુમ હારૂનભાઇ ડાકોરા તથા સ્વ. ભીખાભાઇ વસોયા, ભાવભીની શ્રધ્ધાંજલિ પાઠવી અને મૌન પાડી શોક ઠરાવ પસાર કર્યો હતો. તેમજ અન્ય બે ભાજપના પૂર્વ કોર્પોરેટર વિનુભાઇ તળપદા અને ચારૂબેન ચૌધરીનો પણ શોક ઠરાવ પસાર કરી બે મીનીટ મૌન પાડી શ્રધ્ધાંજલિ પાઠવી હતી તે વખતની તસ્વીર. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:49 pm IST)