એડવોકેટ વાસુદેવ વ્યાસનું અવસાન થતા બાર એસો.દ્વારા એકલાખનો ચેક અપાયો
વેલફેર ફંડમાંથી ચેક અપાયોઃ રાજકોટ બારનું અનેરૂ યોગદાન
રાજકોટઃ સ્વ. એડવોકેટ વાસુદેવભાઇ વ્યાસનું અવસાન થતા બારએસો.ના વેલફેર ફંડ કમિટીના ચેરમેન જયુભાઇ શુકલ તેમજ મુકેશભાઇ દેસાઇ, અનિલ ભટ્ટ અને સુમિત વોરા દ્વારા સદ્દગતના પરિવારને એકલાખનો ચેક અપાયો હતો.
રાજકોટ તા.૧૯ : રાજકોટ બાર એસોસીએશન એડવોકેટ વેલફેર ફંડ દ્વારા વેલફેર ફંડ (રાજકોટ) ના સભ્યશ્રી વાસુદેવભાઇ વ્યાસનું દુઃખદ અવસાન થતા તેમના પરીવારને વેલફેર ફંડમાંથી રૂ.૧,૦૦,૦૦૦/- અંકે રૂપિયા એક લાખ પુરાનો ચેક અર્પણ કરેલ છે.
રાજકોટના આ વેલફેર ફંડમાં માત્ર રાજકોટ બાર એસોસીએશનમાં જ સભ્ય બનેલ એડવોકેટને સ્થાન છે અને તે રીતે સમગ્ર ગુજરાતમાં પોતાના વકીલ સભ્યના પરીવારને મદદરૂપ થવા માટે આ 'વેલફેર ફંડ' એક માત્ર છે. અન્ય કોઇ બારમા હજુ સુધી આવી કોઇ યોજના નથી. 'વેલફેર ફંડ'માં સભ્ય બનવા માટે રાજકોટ બાર એસોસીએશનમા સભ્ય બનવુ જરૂરી છે. અત્યારની આ અતી મુશ્કેલી ભરી પરિસ્થિતિમાં એડવોકેટના અવસાન બાદ તેમના પરીવારને મદદરૂપ થવા માટે 'વેલફેર ફંડ' ઘણુ જ મદદરૂપ થયેલ છે. રાજકોટના એડવોકેટ માત્રને નમ્ર અપીલ છે કે, તેમાં 'વેલફેર ફંડ'ના સભ્ય અચુક બનો, તે માટે સીવીલ કોર્ટ બીલ્ડીંગમાં રૂમ નં.૧૭૦ મા સંપર્ક કરે અત્યારના સંજોગોમાં જરૂર જણાય તો મો. ૯૮રપ૦ રરપ૪૪/૯૩૭૪૧ ૦૪૬૮૮ અથવા મો.૯૪ર૬૪ ૬૦૬૦૪ ઉપર પણ જરૂરી માહીતી મેળવી શકે છે.