News of Monday, 19th October 2020
ઉઠાવગીરોને કંઇ મુકવું નથી... ગૌતમનગરમાંથી રેંકડી ચોરાઇ ગઇ
શાકભાજીના ધંધાર્થી સુરેશભાઇ વાઘેલાની ફરિયાદઃ એકની પૂછપરછ
રાજકોટ તા. ૧૯ : શહેરના અક્ષરમાર્ગ ગૌતમનગર મેઇન રોડ પર રહેતા શાકભાજીના ધંધાર્થીએ ઘર પાસે રાખેલી રેંકડી કોઇ અજાણ્યો શખ્સ ચોરી જતા ફરીયાદ થઇ છે. મળતી વિગત મુજબ ગૌતમનગર મેઇન રોડ પર રહેતા શાકભાજીના ધંધાર્થી સુરેશભાઇ બાવાભાઇ વાઘેલા (ઉ.૩ર) એ ગત તા.૯ ના રોજ પોતાની રેંકડી ઘરની બહાર રાખી હતી બીજા દિવસે તેના કાકા ગોવિંદભાઇ તળશીભાઇ વાઘેલાએ તેની રેંકડી કોઇ ચોરી ગયાની જાણ કરતા સુરેશભાઇએ ઘર આસપાસ તપાસ કરતા રેંકડી અને તેમાં રાખેલ સ્પેરવ્હીલ પણ મળી ન આવતા તેણે ગઇકાલે માલવીયાનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પી.એસ.આઇ. વી.કે. ઝાલા સહિતના સ્ટાફે એક શખ્સને સકંજામાં લઇ પુછપરછ હાથ ધરી છે.
(3:40 pm IST)