રાજકોટ
News of Friday, 19th October 2018

વિપક્ષી નેતાની બેદરકારીથી કોંગ્રેસનાં મહીલા કોર્પોરેટર ગેરલાયક ઠર્યાઃ ઉદય કાનગડનો આક્ષેપ

રાજકોટ, તા., ૧૯: વોર્ડ નં. ૧૮નાં કોંગ્રેસનાં મહિલા કોર્પોરેટર ધર્મીષ્ઠાબેન જાડેજા કોર્પોરેટર પદેથી ગેરલાયક ઠર્યા છે. તેની પાછળ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાની બેદરકારી કારણભુત હોવાનો આક્ષેપ સ્ટેન્ડીંગ ચેરમેન ઉદયભાઇ કાનગડે કર્યો છે.

આ અંગે ઉદયભાઇ કાનગડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સામાન્ય સભામાં કોર્પોરેટરોની હાજરી-ગેરહાજરી બાબતે પક્ષનાં નેતાએ ધ્યાન રાખવાની નૈતીક ફરજ છે અને તેમાં વિપક્ષી નેતા ઉણા ઉતર્યા હોવાનું ફલીત થયું છે કેમ કે સતત ત્રણ મહિના સુધી મહિલા કોર્પોરેટરની ગેરહાજરી રહી છતાં વિપક્ષી નેતાએ કોઇ કાર્યવાહી કરી નહી. આમ વિપક્ષી નેતાની બેદરકારીએ જ તેઓના જ પક્ષના મહિલા કોર્ર્પોરેટરનું પદ છીનવી લીધું છે તેવો આક્ષેપ આ તકે સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ઉદય કાનગડે કર્યો છે.

(3:59 pm IST)