સીવીલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલી થાનગઢની ૧૭ વર્ષની સગીરા ગુમઃ અપહરણનો ગુનો
રાજકોટ તા. ૧૯ :.. સરકારી હોસ્પિટલમાં માતા સાથે સારવાર માટે આવેલી ૧૭ વર્ષની સગીરા કેસ બારી પાસેથી લાપતા થતા તેના માતાએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરીયાદ થઇ છે.
મળતી વિગત મુજબ ચોટીલાના થાનગઢમાં રૂપાવટી રોડ સીતારામ સોસાયટી બ્લોક નં. ૯ર માં રહેતા મીરાબેન જેઠાભાઇ ડાભી (ઉ.૩૬) એ પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, ગત તા. ૧૬-૧૦ ના રોજ સવારે હું તથા મારી દીકરી ૧૭ વર્ષની વર્ષા બંને થાનથી રાજકોટ સરકારી હોસ્પિટલે વર્ષાની દવા લેવા માટે આવ્યા હતાં. ત્યારે તેનો કેસ કઢાવવા માટે દીકરી વર્ષાને કેસ બારી પાસે બેસવાનું કહી પોતે કયા ડોકટર પાસે જવાનું છે. તે તપાસ કરવા માટે ગઇ હતી. થોડીવાર બાદ પરત આવતા પુત્રી વર્ષા કેસ બારી પાસે જોવા ન મળતા તેની શોધખોળ આદરી હતી. પરંતુ તેનો કોઇ પતો ન લાગતા પ્ર.નગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ અપહરણનો ગુનો પીઆઇ બી. એમ. કાતરીયાએ તપાસ આદરી છે.