News of Friday, 19th October 2018
કરણપરામાં બાથરૂમમાં પડી જતાં કાપડના વેપારીનું મોત
ભાવેશભાઇ જીવરાજાનીના મોતથી પરિવારમાં ગમગીની
રાજકોટ તા. ૧૯: કરણપરા-૨૮માં શુભકૃપા એપાર્ટમેન્ટમાં રહેતાં અને કાપડનો વેપાર કરતાં ભાવેશભાઇ દિનેશભાઇ જીવરાજાની (ઉ.૪૬) રાત્રે બાથરૂમમાં પડી જતાં બેભાન થઇ ગયા હતાં. ૧૦૮ના ઇએમટી તબિબે મૃત જાહેર કરતાં એ-ડિવીઝનના હેડકોન્સ. સાજીદભાઇ ખીરાણીએ જરૂરી કાર્યવાહી કરી હતી.
મૃત્યુ પામનાર ત્રણ ભાઇ અને એક બહેનમાં ત્રીજા હતાં. સંતાનમાં એક પુત્ર છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો છે. (૧૪.૫)
(11:46 am IST)