રાજકોટ
News of Monday, 19th August 2019

પૂર્વ કોર્પોરેટર પ્રવિણભાઈ પરમારના સ્મરણાર્થે

શિવમ ગ્રુપ દ્વારા કાલે મંગળવારે રાહતદરે ફરસાણ અને મીઠાઈ વિતરણ

રૂ.૧૫૦માં ૨ કિલો ફરસાણ અને ૫૦૦ ગ્રામ મિઠાઈ અપાશે

રાજકોટ, તા. ૧૯ : શિવમ ગ્રુપ દ્વારા પૂર્વ કોર્પોરેટર તેમજ સેવાભાવી સ્વ.પ્રવિણસિંહ પરમારના સ્મરણાર્થે સાતમ આઠમના તહેવાર નિમિતે સતત અઢારમાં વર્ષે રાહત દર ફરસાણ તેમજ મીઠાઈ વિતરણનું આયોજન આવતીકાલે તા.૨૦ને મંગળવારના રોજ સવારે ૮ થી સાંજે ૬ વાગ્યા સુધી રાખેલ છે. જેમાં રૂ.૧૫૦માં ૨ કિલો ફરસાણ અને ૫૦૦ ગ્રામ મીઠાઈ આપવામાં આવશે.

આ કાર્યક્રમનું ઉદ્દઘાટન જાણીતા ઉદ્યોગપતિ રમેશભાઈ પટેલ (પટેલ બ્રાસ - વર્કસ) દ્વારા રાખેલ છે. દિપ પ્રાગટ્ય શ્રી શંભુભાઈ પરસાણા (પ્રશાંત કાસ્ટીંગ) તથા નારણભાઈ પટેલ (ઈન્ડિયા બ્રાસ)ના હસ્તે થશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા શિવમ ગ્રુપના કુલદીપસિંહ પરમાર, રાજેશ પરસાણા, જયેશ ઉદેશી, ગિરીરાજસિંહ જાડેજા, વિનોદ પોકર, ધવલ જોષી, કમલ લીંબડ, ચેતન શુકલ, સંજય ધીનોજા, રાજુ જોષી, મહેન્દ્ર કામલીયા, પંકજ પરમાર, અતુલ કારીયા, હર્ષ પરસાણા, ભરત દાવડા, પરાગ પરમાર, ઉદયભાઈ પરમાર, વિજય પરમાર, પાર્થિવ દવે, પશાલાલ પરસાણા, રાજુભાઈ ભીમજીયાણી, મનોજભાઈ દાઢી, વિપુલ પટેલ, રાજુભાઈ ટોમેટો તથા સર્વે કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. જાહેર જનતાને લાભ લેવા અનુરોધ કરાયો છે. વધુ વિગતો માટે મો.૯૮૨૪૩ ૦૦૩૦૩ ઉપર સંપર્ક કરવો.

સ્થળ : ૪, પૂજારા પ્લોટ કોર્નર, પૂજારા પ્લોટ મેઈન રોડ, ચામુંડા પાનની બાજુમાં, કાંતા સ્ત્રી વિકાસ ગૃહ મેઈન રોડ, રાજકોટ. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૫)

(4:36 pm IST)