જોહર કાર્ડસ ગ્રુપ દ્વારા કર્મકાંડી બ્રાહ્મણો ત્થા પુજારીઓને નિઃશુલ્ક રાખડી વિતરણ
રાજકોટઃ જોહર કાર્ડસ ગ્રુપ દ્વારા પ૩માં વર્ષમાં પ્રવેશ પ્રસંગે પરંપરા મુજબ દર વર્ષ કર્મકાંડી બ્રાહ્મણ ભાઇઓ ત્થા પુજારીશ્રીઓને નિઃશુલ્ક રાખડીઓનું વિતરણ કરાયું હતું. જોહર કાર્ડસની સીસ્ટર કન્સલર જોહર ગેલેરી, કાલાવડ રોડ, પ્રેમ મંદિરની લાઇનમાં ગાર્ડન સામે આ વિતરણ કરવામાં આવેલ હતું. જેનો મોટી સંખ્યામાં ભુદેવો અને પુજારીઓએ લાભ લીધો હતો. આ વર્ષે જોહર કાર્ડસ ગ્રુપ દ્વારા આપવામાં આવેલ રાખડીઓમાંથી ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને તેમજ રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને કર્મકાંડી બ્રાહ્મણો તેમજ પુજારીશ્રીઓ આશિર્વાદ સાથે રાખડી મોકલી હતી. જેનાં એડ્રેસના કવર જોહર ગેલેરી ખાતેથી આપવામાં આવેલ હતા. જોહર કાર્ડસ ગ્રુપના યુસુફભાઇ, જોહરભાઇ, હસનેનભાઇએ સમગ્ર વ્યવસ્થા સંભાળી હતી.