વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમમાં ધ્વજવંદન
મહાનગરપાલિકા નિર્મિત અને સરગમ કલબ સંચાલિત વિર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સ્વતંત્રતા દિવસે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. ધ્વજવંદન કાર્યક્રમમાં સ્મીતભાઇ પટેલ તથા રાકેશભાઇ પોપટએ ધ્વજવંદન કર્યું હતું. આ તકે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા, રાજભા ગોહિલ, જયેશભાઇ વસા, કૌશિકભાઇ સોલંકી, ગુણવંતભાઇ ભટ્ટ તેમજ લેડીઝ કલબના પ્રમુખ નીલુબેન મહેતા સહિતના અગ્રણીઓ ઉપસિથત રહ્યા હતા અને તિરંગાની સલામી ઝીલી હતી. આ તકે સ્મીતભાઇ પટેલે જણાવ્યું હતું કે, સામાજિક પ્રવૃત્તિ કરી સંસ્થાઓ પરોક્ષ રીતે દેશની પ્રગતિમાં ફાળો આપી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, આઝાદી સમયે પણ દેશને આઝાદી અપાવવામાં અનેક સંસ્થાઓએ મહત્વનો ફાળો આપ્યો હોવાનો ઇતિહાસ ગવાહ છે. આ કાર્યક્રમમાં ઇન્ડોર સ્ટેડિયમના સભ્યો તેમજ રેસકોર્સમાં આવેલા હોકી તેમજ ફૂટબોલના ખેલાડીઓ પણ જોડાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાના માર્ગદશ(ર્ન હેઠળ પ્રફુલ્લભાઇ સંઘાણી સહિતના જહેમત ઉઠાવી હતી.