રાજકોટ
News of Monday, 19th August 2019

કાલે પુર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની જન્મ જયંતિ નિમિતે મ્યુ. કોર્પોરેશન દ્વારા પુષ્પાંજલી

રાજકોટ તા. ૧૯: મહાનગરપાલિકા દ્વારા રાજીવ ગાંધીની તા. ર૦ ઓગસ્ટનાં ૭પમી જન્મજયંતિ પ્રસંગે સવારે ૯-૩૦ કલાકે એરપોર્ટ રોડ સામે, રીંગ રોડ, રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આવેલ પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવાનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.  રાજીવ ગાંધીનો જન્મઃ ર૦ ઓગસ્ટ ૧૯૪૪ના થયો હતો. ભારતના ૭ માં વડાપ્રધાન બન્યા હતા. વડાપ્રધાન ઇન્દીરા ગાંધીના મૃત્યુ પછી ૧૯૮૪માં સૌથી નાની વયના વડાપ્રધાન બન્યા. એલટીટીઇના સ્યુસાઇડ બોમ્બર દ્વારા તા. ર૧ મે ૧૯૯૧ના રોજ તેમની હત્યા કરવામાં આવી. તેમના મૃત્યુ બાદ તેમને ભારત રત્નથી નવાજવામાં આવેલ.

(4:20 pm IST)