રાજકોટમાં રાજગોર બ્રાહ્મણ યુથકલબ દ્વારા લોકડાયરો અને સન્માન સમારોહ યોજાયો
જુનાગઢ તા.૧૯ :રાજગોર બ્રાહ્મણ યુથ કલબ રાજકોટ દ્વારા પ્રમુખસ્વામી ઓડીટોરિયમ રક્ષાબંધનનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ ઉજવાયો આ કાર્યક્રમમાં લોકસાહિત્યકાર દેવાયતભાઈ ખવડનો સાહિત્યનો પ્રોગ્રામ મન ભરીને માણ્યો હતો . તેમજ કાર્યક્રમમાં મુકતાનંદજી બાપુ, ગીજુભાઈ ભરાડ , જેન્તીભાઈ તેરૈયા સન્માન પત્રથી સન્માન કરવામાં આવેલ.
ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, પૂર્વ ધારાસભ્ય ભાનુમતીબેન બાબરીયા, કોર્પોરેટર કશ્યપભાઈ શુકલા,રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ના મહામંત્રી હરેશભાઈ જોષી, ડે.કલેકટર તેમજ તુષારભાઈ જોષી,રાજકોટ ડી.સી.પી. મનોહરસિંહજી જાડેજા , રાજગોર બ્રાહ્મણ સમાજનું સબળ નેનૃત્વ, યોગ્ય દિશાસુચન કરનાર તેમજ મહાદાની એવા જેન્તીભાઈ તેરૈયાસાહેબ,ભુદેવ સમાજનું પ્રમુખ એવા દર્શીતભાઈ જાની પીએસઆઇ, શ્રી નિકુંજભાઈ જોષી, એવા જયેશભાઈ દવે,તેમજ ગુણવંતભાઈ ભરાડ, ધીરૂભાઈ મહેતા, રાજેશભાઈ શીલું, જીતુભાઈ ચાવડાગોર, જસદણથી ઘનશ્યામભાઈ ચાંવ, પંકજભાઈ ચાંવ, નવાગઢથી લક્ષ્મીકાંતભાઇ મહેતા, કાળુભાઈ જોષી, શેઠવડાળાથી મુકેશભાઈ જોષી, ના.મામલતદાર ભગવતીબેન શીલુ, ના.મામલતદાર માધવભાઈ મહેતા, ના. મામલતદાર વર્ષાબેન વેગડા , સહિતના આગેવાનો કાર્યક્રમમાં પધારી આશીર્વાદ અને અભિનંદન પાઠવ્યા હતા.