રાજકોટ
News of Monday, 19th August 2019

પાઠક વિદ્યામંદિરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

શ્રીમતિ એસ. કે. પાઠક વિદ્યામંદિર ઇન્દ્રપ્રસ્થનગર-૧ માં ૭૩ માં સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરવામાં આવી હતી. ગુણવંતભાઇ ડેલાવાળા મુખ્ય અતિથિ વિશેષ રહ્યા હતા. આ તકે સૌ. યુનિ.ના સિન્ડીકેટ મેમ્બર ભરતભાઇ રામાનુજ, શાળાના ટ્રસ્ટીશ્રી અતુલભાઇ બલદેવે કાર્યક્રમનું નિદર્શન કર્યું હતું. શાળાના આચાર્યાશ્રી કલ્પનાબેન જોષીએ ભારતના ૭૩ માં સ્વાતંત્ર્યદિનની શુભકામના આપી વડાપ્રધાન મોદીના કાર્યની પ્રશંસા કરી હતી. કાર્યક્રમનું સંચાલન રૂપારેલીયા સરે કર્યું હતું. તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શાળાના તમામ કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા તેમજ સાચા અર્થમાં શહીદોને શ્રધ્ધાંજલિ અર્પી હતી.

(4:13 pm IST)