News of Monday, 19th August 2019
બાબરિયા કોલોનીમાં ભૂગર્ભ ગટરનાં ગંદા પાણીની સમસ્યા કયારે દુર થશે ?
રાજકોટ : શહેરનાં વોર્ડ નં. ૧૭ માં બાબરીયા કોલોનીમાં શેરી નં. ૭/૧ માં ૧પ દિવસથી ભૂગર્ભ ગટર છલકાઇ રહી છે જેનાં ગંદા પાણીથી રોગચાળાનો ભય ફેલાયો છે. આ બાબતે અનેક ફરીયાદો કરવા છતાં ઉકેલ નથી આવ્યો ત્યારે આ વિસ્તારનાં સામાજીક કાર્યકર સવજીભાઇ ફળદુએ મ્યુ. કમિશનરને રજૂઆત કરી આ સમસ્યામાંથી લોકોને છોડાવવા માંગ ઉઠાવી છે.
(3:59 pm IST)