સંગઠન પર્વ અંતર્ગત શહેર ભાજપ ડોકટર સેલની બેઠક
રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતભરમાં ૬ જુલાઇથી ૧૧ ઓગષ્ટ સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા વૃધ્ધિ અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે તે અંતર્ગત રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ હિરાણીના માર્ગદર્શન હેઠળ તથા સંગઠન પર્વના ઇન્ચાર્જ વિરેન્દ્રસિંહ ઝાલા, સહઇન્ચાર્જ પુષ્કર પટેલ, ડો. દર્શીતાબેન શાહની આગેવાની હેઠળ શહેરભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પર્વ ચાલી રહ્યું છે તેના ભાગરૂપે શહેરભરમાંથી તબીબો વધુને વધુ સંખ્યામાં જોડાય તે માટે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ અને શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ડો. અમિત હપાણી, સંગઠન પર્વના ઇન્ચાર્જ વિરેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ મેયર ડો. જૈમન ઉપાધ્યાય, સંગઠન પર્વના સહઇન્ચાર્જ ડો. દર્શીતાબેન શાહની આગેવાનીમાં શહેર ભાજપની ડોકટર સેલની એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં બહોળી સંખ્યામાં શહેરના નામાંકિત તબીબો ઉપસ્થિત રહ્યા હતા.