પોલીસ અધિકારીઓ એલર્ટઃ વાલીઓ લાપરવાહઃ બાઈક પર સુઈ ગયેલા બાળક અંગે મા-બાપને ટપારાયા
પોલીસ પ્રજાનો મિત્ર છે. તમારી સુરક્ષા માટે તેઓ કડકાઈ કે સક્રિયતા દાખવતા હોય છે પરંતુ છાશવારે કાગારોળ મચાવતી જનતા કેટલી હદે બેદરકાર છે તે ઉજાગર કરતી તસ્વીર ઘણુ કહી જાય છે. તસ્વીરમાં બાઈક પર જાગરણની રાત્રે નીકળેલા પતિ-પત્નિનું બાળક ચાલુ બાઈકે ઘસઘસાટ સૂઈ ગયુ છે જેની વાલીઓને ખબરસુદ્ધા નથી પરંતુ શહેરના કાર્યદક્ષ ડીસીપી મનોહરસિંહ જાડેજાએ બાઈકને રોકી માતા-પિતાનું ધ્યાન દોરીને કહ્યું કે તમારૂ બાળક સૂઈ ગયુ છે. ચાલુ બાઈક પરથી ગબડી પડે તો કેવી દુર્ઘટના સર્જાઈ શકે. બાળકને માતા-પિતાની વચ્ચે બેસાડીને નીકળવાની સોનેરી સલાહ શ્રી જાડેજાએ આપીને ધ્યાન રાખવાની સલાહ આપી હતી તે સમયની તસ્વીર. અત્રે એ ઉલ્લેખનીય છે કે જો વાલીઓની લાપરવાહીથી કોઈક દુર્ઘટના સર્જાય તો માછલા તો પોલીસ તંત્ર ઉપર જ ધોવાય તે નિશ્ચિત છે. પ્રસ્તુત તસ્વીર પરથી તમામ માતા-પિતાએ શિખ લેવી જરૂરી છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)