ખંઢેરી રેલવે સ્ટેશન પાસે ટ્રેનમાંથી પડી જતા અજાણ્યા વૃધ્ધનુ મોત
રાજકોટતા. ૧૯ : જામનગર રોડ ખંઢેરી રેલવે સ્ટેશન પાસે ટ્રેનમાંથી પડી જતા અજાણ્યા વૃધ્ધનુ મોત નિપજ્યુ છે.
મળતી વિગતો મુજબ ખંઢેરી રેલવે સ્ટેશન પાસે એક ૬૫ વર્ષના અજાણ્યા વૃધ્ધ બેભાન હાલતમાં પડ્યો હોવાની જાણ થતા ૧૦૮ના તબીબે તેનુ મોત નિપજ્યુ હોવાનુ જાહેર કર્યુ હતુ. જાણ થતા રેલવે પોલીસે મથકના હેડ કોન્સ .પી.એમ તૈરેયા તથા રાઇટર યોગીરાજસિંહ સહિત સ્થળ પર પહોંચી તપાસ આદરી હતી. અને વૃધ્ધની લાશને પીએમ માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. મૃતક અજાણ્યા વૃધ્ધના જમણા હાથના બાવળા પર જૂનુ વાગેલાનુ નિશાન છે. તેણે સફેદ આછા ગુલાબી કલરનો ચેકસ વાળો શર્ટ પહેરેલ છે. વૃધ્ધના માથામાં ઈજા અને કપડા ફાટેલા હોવાથી વૃધ્ધનુ ચાલુ ટ્રેનમાંથી પડી જવાથી મૃત્યુ નિપજ્યુ હોવાનુ પોલીસે જણાવ્યુ છે. આ વૃધ્ધના જો કોઇ સગા સંબંધી હોય તો રેલવે પોલીસ સ્ટેશન ફોન નંબર ૦૨૮૧- ૨૪૪૩૩૫૮ તથા મોબાઇલ નં. ૯૬૩૮૦૨૪૯૭૬ ઉપર સંપર્ક કરવો.