મધરાત્રે ભારે વરસાદમાં મહાનગરપાલિકાની ત્વરિત કામગીરીને બિરદાવતા સરદારનગરના રહેવાસીઓ
રાજકોટ માં આવેલ એક રાત માં ૭ ઈંચ મુશળધાર વરસાદ માં કમિશનર શ્રી બંછાનિધિ પાની સાહેબની ત્વરિત કામગીરીને સરદાર નગર ઓટલા પરિષદના આગેવાનો રસિકભાઈ મોરધરા, જીજ્ઞેશ ધ્રુવ,પ્રવીણ ચાવડા, દિલજીત ચૌહાણ, અલુભાઈ ઓડ, ભાગ્યેશ વોરા, ભારત તન્ના, નીતિન જરીયા વિગેરેએ બિરદાવી હતી. તે વખતની તસ્વીર આગેવાનોએ કમિશનરશ્રીને કહ્યું હતું કે, ચાલુ વરસાદે રાજકોટ મહાનગરપાલિકાની તમામ ટીમ સતત કાર્યશીલ રહી તેના કારણે જાહેર જનતાને કોઈ મુશ્કેલી ના પડી. શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે છતાં પણ જનતાને કોઈ મુશ્કેલીનો સામનો કરવો નથી પડ્યો. રાજકોટ મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ચાલુ વરસાદે પણ લોકોની ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરવામાં આવેલ છે. આ તમામ કામગીરી બદલ આગેવાનોએ રૂબરૂ મુલાકાત લઇ કમિશનર બંછાનિધિ પાનીને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છા પાઠવી પોતાનો રાજીપો વ્યકત કર્યો હતો. (૨૩.૧૮)