રા.લો. સંઘની કામગીરી ૩૦મી સુધી બંધ રાખવા નિર્ણય
રાજકોટ તા. ૧૯: કોરોના સંક્રમણને લીધે રાજકોટ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણનો દર ઉત્તરોતર વધી રહેલ છે. રાજકોટ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણનો દર ઉત્તરોતર વધી રહેલ છે. રાજકોટ તાલુકાના કસ્તુરબાધામ (ત્રંબા) ગામમાં તેમજ આસપાસમાં પણ સંક્રમણ વધી રહેલ છે. શ્રી રાજકોટ લોધીકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.નાં કસ્તુરબાધામ (ત્રંબા) યુનીટ ખાતે પણ સ્ટાફ અને લેબર વિગેરેમાં પણ સંક્રમણ વધી રહેલ હોઇ તમામની સલામતી અને સાવચેતીના પગલા રૂપે સંઘનાં ચેરમેનશ્રી નરેન્દ્રસિંહ જાડેજાએ સંઘની વ્યવસ્થાપક સમિતિના સભ્યો સાથે પરામર્શ કરીને સંઘનાં યુનિટ ખાતેની તમામ કામગીરી તા. ર૧ થી તા. ૩૦ સુધી બંધ રાખવા નિર્ણય કરેલ છે. પરિસ્થિતિ અંગે પુનઃ તા. ર૯ ના રોજ પરામર્શ કર્યા બાદ આગળનો નિર્ણય લેવાશે. તેમ યાદીમાં જણાવાયું છે.