રાજકોટ
News of Monday, 19th April 2021

પંચનાથ હોસ્‍પિટલની સેવા ખરેખર બિરદાવવા લાયક

રાજકોટ : અહિંની સુપ્રસિદ્ધ એવી શ્રી પંચનાથ હોસ્‍પિટલમાં આજે સવારે વ્‍હીલચેર ઉપર દર્દી તેમના સગા સાથે આવેલા હોસ્‍પિટલમાં જગ્‍યા ન હતી. પરંતુ દર્દીને ઓકિસજનની ખૂબ જ જરૂરીયાત હોય શ્રી પંચનાથ હોસ્‍પિટલના સૂત્રધાર એવા શ્રી દેવાંગભાઈ માંકડે તાબડતોડ ઓક્‍સિજનની વ્‍યવસ્‍થા કરી આપી હતી અને હોસ્‍પિટલની બહાર જ દર્દીને ઓકિસજનની બહાર જ દર્દીને ઓક્‍સિજનની વ્‍યવસ્‍થા પૂરી પાડી હતી. આમ, હોસ્‍પિટલમાં જગ્‍યા ન હોવા છતાં ઓક્‍સિજન પૂરો પાડી દર્દીનો જીવ બચાવ્‍યો હતો અને માનવતાનું ઉદાહરણ પૂરૂ પાડયુ હતું. શ્રી પંચનાથ હોસ્‍પિટલના  સમગ્ર સ્‍ટાફને અભિનંદન... (તસ્‍વીર : મલય અનિલભાઈ દેસાઈ)

(4:24 pm IST)