આજથી ૩૦ એપ્રિલ સુધી ર વાગ્યા પછી જયુબીલી-લાખાજીરાજ શાક માર્કેટ સ્વૈચ્છીક બંધ
રાજકોટ, તા., ૧૯: હાલ કોરોના વાઇરસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેરની ત્રણ શાક માર્કેટ તા.૧૯ એપ્રીલ થી તા. ૩૦ એપ્રિલ સુધી દરરોજ બપોરે ર વાગ્યા પછી સ્વૈચ્છાએ બંધ રાખવા અંગેનો નિર્ણય ધંધાર્થીઓ દ્વારા કરવામાં આવેલ છે. જેની શહેરના દરેક ગ્રાહકે અને વેપારીઓએ નોંધ લેવા વિનંતી કરવામાં આવેલ છે. શહેરની જે શાક માર્કેટ બંધ રાખવામાં આવે છે તેમાં (૧) જયુબીલી શાક માર્કેટ ભાગ-૧ (ર) જયુબીલી શાક માર્કેટ (ડિસ્કો માર્કેટ) ભાગ-ર અને (૩) લાખાજીરાજ શાક માર્કેટ (ધર્મેન્દ્ર રોડવાળી) સમાવેશ કરવામાં આવેલ છે.
તેમ જયુબીલી શાક માર્કેટના સંગઠનોના હોદેદારો કાંતીલાલ સંઘાણી,મુકેશભાઇ પીપળીયા, પ્રતાપભાઇ ખીમજીભાઇ, પ્રેમજીભાઇ આણંદાભાઇ અને પ્રવીણભાઇ રામજીભાઇ સંયુકત યાદીમાં જણાવે છે.