રાજકોટ
News of Friday, 19th April 2019

કાલે મોહનભાઈને દુવા - આર્શીવાદનો કાર્યક્રમ

રાજકોટ માટે એઈમ્સ મંજૂર કરાવવા મહદ અંશે પ્રયાસો કર્યા'તા

રાજકોટ, તા. ૧૯ : દેશની શ્રેષ્ઠ આરોગ્ય સેવાના કેન્દ્ર જેવી એઈમ્સ સંસ્થા રાજકોટને મળી છે તે સૌ કોઈ શહેરીજનો જાણે છે. 'એઈમ્સ'ને રાજકોટમાં મંજૂર કરાવવામાં સાંસદ મોહનભાઈ કુંડારીયાનું મહત્વપૂર્ણ યોગદાન હતું. આ સત્કાર્ય બદલ આવતીકાલે મોહનભાઈને દુવા અને આર્શીવાદનો કાર્યક્રમ રાખેલ છે.

આવતીકાલે તા.૨૦ના શનિવારે સાંજે ૭ કલાકે માર્કેટ યાર્ડ પાછળ આવેલ નરશીનગર સોસાયટી ખાતે આયોજીત આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી અંજલીબેન રૂપાણી, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી અને કોર્પોરેટર અનિલભાઈ રાઠોડ સહિતના આગેવાનો - કાર્યકરો ઉપસ્થિત રહેશે.

મોહનભાઈને દુવા અને આર્શીવાદના કાર્યક્રમમાં નગરજનોને ડીએમકે યુવા ગ્રુપના અયોધ મકવાણા અને નૈચી મકવાણા દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.

(4:18 pm IST)